Chapter : નિકાહ
(Page : 280-281)
સવાલઃ– એક દુશ્મનીના બનાવમાં બાપ અને તેમના ત્રણ દિકરાઓને એક ગામના લોકોએ શહીદ કર્યા, જે ત્રણ દિકરાઓ પૈકી મુ.હનીફ પરણીત અને સાહિબે અવલાદ હતો. મરહૂમ મુ.હનીફના વારસદારોના ભરણ પોષણની ચુકતે જવાબદારી કોના ઉપર છે?
નોંધ :– આ ચાર બાપ દિકરાઓના મૃત્યુક્રમની કોઈને જાણ નથી જયારે હમે બનાવ સ્થળે પહોંચ્યા ત્યારે ચારે લાશો અલગ અલગ જગાએ મૃત્યુ પામેલ હાલતમાં મળી હતી.
જવાબઃ– મુ. હનીફની ઓરત અને તેના સગીર બાળકોના ભરણ પોષણની જવાબદારી જો તેઓ પોતે શકિતમાન ન હોય તો તેઓના નાનાના શિરે વાજિબ છે. (શામી :ર/૬૭૯)
Log in or Register to save this content for later.