[ર૪ર] પૌત્રાઓનું ભરણપોષણ દાદાના શિરે કયારે આવે? અને ભુતકાળનો ખર્ચ માંગી શકાય?

Chapter : નિકાહ

(Page : 281-282)

સવાલઃ– હમો આશરે ૧પ વર્ષથી અલગ છીએ, હમોને દાદાએ કોઈ પણ જાતનો સહકાર કે પૈસા ખર્ચના આપ્યા નથી, હમો ૧પ વર્ષનો ખર્ચ દાદા પાસે માંગી શકીએ કે કેમ ?

જવાબ :–  જયાં સુધી તમારા બાપ હયાત હતા, તમો પૌત્રા– પૌત્રીઓના ભરણપોષણ ખર્ચના જવાબદાર તમારા બાપ પોતે જ હતા, ચાહે તેઓ ગરીબ હોય. શરઈ દ્રષ્ટ્રિએ બાપની હયાતીમાં પૌત્રા – પૌત્રીઓના ભરણ પોષણની જવાબદારી દાદાના શિરે હોતી નથી. અને જયારથી તમારા બાપની વફાત થઈ ગઈ, જો તે વખતે તમો પૌત્રા –પૌત્રીઓ ગરીબ હતા અને દાદા માલદાર હતા તો તમારા ભરણ પોષણની જવાબદારી દાદાની હતી, પરંતુ જે મુદ્દત વીતી ગઈ તે વીતેલી મુદ્દતના ભરણ પોષણ ખર્ચની જવાબદારીથી પણ દાદા મુકત થઈ જાય છે, માટે પૂછેલી સૂરતમાં તમો પાછલા ૧પ વર્ષનો ખર્ચ દાદા પાસેથી માંગવાના અથવા દાદાની વફાત પછી તેઓની છોડેલી મિલકતમાંથી વસૂલ કરવાના હકદાર નથી.                       (શામી : ર/૬૭ર,૬૭૯,૬૮પ)

Log in or Register to save this content for later.