[ર૩૯] નાફરમાન પત્નીનું ભરણપોષણ

Chapter : નિકાહ

(Page : 279-280)

સવાલ :– મારી જાણમાં છે તે પ્રમાણે પતિ જો પોતાની પત્નીને રાજીખૂશીથી રાખવા તૈયાર હોય તો પત્ની ખાધા ખોરાકી માંગી શકે  નહિ, પરંતુ પ્રશ્ન એ છે કે પતિ જો પત્નીને રાખવા રાજીખૂશી હોય તેવી પરિસ્થિતિમાં પત્ની પતિને છોડીને પીયર જતી રહે તો તે શું પતિ પાસેથી ખાધા ખોરાકીની રકમ શરીઅત પ્રમાણે માંગી શકે?

જવાબ :–  પત્ની પોતાના પતિને છોડીને પીયર જતી રહે અને પતિ તરફથી તેને જવા રજા ન હોય તો આ સૂરતમાં પત્ની જયાં સુધી પોતાના પતિના ઘરે પાછી નહીં આવે ત્યાં સુધી તે પતિ પાસેથી ખાધા ખોરાકી માંગવાની હકદાર નહિ રહે અને પત્ની ઘરે આવ્યા પછી પણ પીયરમાં પતિની રજા સિવાય રહેવાની મુદ્દતની ખાધા ખોરાકીની હકદાર નથી.                                                                                       (શામી–ર/૬૪૬)

Log in or Register to save this content for later.