[ર૧૭] મહર નકકી કરવાનો હક કોને ?

Chapter : નિકાહ

(Page : 263)

સવાલઃ– મહરની રકમ અગર સમાજ વધારે તો મહેરની રકમ વધારી શકાય કે કેમ? સમાજનું કહેવું એ છે કે અગર મહેર વધારે રાખવામાં આવી હોય તો માણસને તલાક આપવી હોય તો ના આપી શકે એવું કરવું બરાબર છે ?

જવાબઃ– મહર પતિ–પત્નીની રાજી ખુશીથી નકકી કરવામાં આવશે, પરંતુ ઓરત માટે પોતાના વલીની ઈજાઝત વગર પોતાની ફોઈ અને બહેનોની મહરથી ઓછી મહર નકકી કરવી દુરસ્ત નથી. ઘણી વધારે મહર નકકી કરવી પણ બેહતર નથી. જો પુરુષ શકિતમાન હોય તો મહરે ફાતિમી નકકી કરવી જોઈએ. જે ૧૩૧ તોલા ત્રણ માશા ચાંદી અથવા તેની કિંમત બરાબર થાય છે.

Log in or Register to save this content for later.