Chapter : નિકાહ
(Page : 259-260)
સવાલ :– હમારે ત્યાં ઈમામ સાહેબે આ રીતે નિકાહ પઢાવ્યા છે કે વકીલને પૂછયું કે શું તમે છોકરીની રજા લીધી છે, વકીલે કહયું કે હાં, છોકરીએ રજા આપી છે, ગવાહોને પૂછયું કે તમે સાંભળ્યું છે, તો ગવાહોએ કહયું કે સાંભળ્યું છે, પછી વકીલને પુછયું કે નિકાહ પઢાવી દઉં, તો વકીલે કહયું કે પઢાવી દો, પછી દુલ્હાથી મુખાતબ થઈ કહે છે કે આ વકીલ સાહેબની વકાલતથી અને આ બન્ને શાહીદોની શહાદતથી ફલાં બિન્તે ફલાંને આપના નિકાહમાં આપની બીવી બનાવીને આપવામાં આવે છે, આપે કબૂલ કર્યુ, તો દુલ્હાએ કહયું કે મેં કબૂલ કર્યું, પછી દુઆ પઢાવી દીધી. તો મજકૂર સૂરતમાં ન તો મહર કબૂલ કરાવી, ન તો મહર શબ્દ બોલ્યા કે કેટલી ? અને હાઝિરીને મજલિસ સમક્ષ પણ ન બોલ્યા તો શું મહર દુલ્હાને બતાવવું જરૂરી છે? ન બતાવી તો નિકાહમાં ફસાદ આવશે ?
જવાબઃ– નિકાહ પઢાવવાનો કામિલ તરીકો એ જ છે કે મહર નકકી કરી મહરનું વર્ણન પણ ઈજાબ અને કબૂલ સાથે કરવામાં આવે, પરંતુ જો મહરનું વર્ણન પણ ન કરવામાં આવે તો પણ નિકાહ દુરસ્ત થઈ જાય છે. જે નિકાહ પહેલાં મહરની વાતચીત થઈ ગઈ છે અથવા તેનું પ્રમાણ રજીસ્ટરમાં લખી લેવામાં આવ્યું છે, અને જો કોઈ પ્રમાણ નકકી કરવામાં નથી આવ્યું તો મહરે મિસ્લ એટલે કે છોકરીની બહેનો – ફોઈઓની મહર બરાબર મહર નકકી કરવામાં આવશે. હાઝિરીને મજલિસ રૂબરૂ બોલવું જરૂરી નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.