[ર૧૦] એકાંતવાસાથી પહેલાં તલાકમાં કબ્જો આપેલ મહરનો હુકમ

Chapter : નિકાહ

(Page : 258-259)

સવાલઃ– મારી શાદી ર૯/પ/૮૮ના રોજ થઈ હતી અને છોકરીને મારે ઘરે વરાવી ન હતી, મારી સાથે હમ બિસ્તરી થઈ નથી અને મેં જાતે પહેલા મહેર રોકડી આપી છે, અને મેં ગુસ્સામાં મારી ઓરતને ત્રણ તલાક આપી દીધી છે. હવે ફરીથી એને લાવવાનો મારો ઈરાદો છે, તો આ બાબતે વિગતવાર જવાબ જણાવશો.

જવાબઃ– તમોએ જે પૂરી મહર તમારી પત્નીને રોકડી આપી છે તો હમબિસ્તરી અને એકાંતવાસથી પહેલાં તલાક થઈ જવાથી તમો અડધી મહર પાછી લેવાના હકદાર છો અને તે માટે તલાક થયેલ સ્ત્રીએ રોકડી લીધેલી મહરમાંથી અડધી મહર તમોને પરત કરી દેવી જોઈએ, અલબત્ત, ફરીવાર તેની સાથે નિકાહ કરો તો બીજીવાર મહર નક્કી કરી તે આપવી જરૂરી રહેશે. પહેલા નિકાહ વખતે આપેલી મહર પૂરતી નહીં ગણાય.

Log in or Register to save this content for later.