[ર૧ર] મહરમાં સોનાના હાલના ભાવનો એઅ્‌તેબાર

Chapter : નિકાહ

(Page : 260)

સવાલઃ– એક માણસે ૧૯૮૧માં નિકાહ કર્યા. નિકાહ વખતે એક તોલા સોનું મહર ઉધાર પેટે લખાવ્યું હતું, કારણ કે તે વખતે મહર આપવાની શકિત ન હતી, સોનાના ભાવ તે વખતે ર૧૦૦ – રર૦૦ રૂપિયા હતો. આજે ૧૯૯૦માં એ મહર ચુકવવા માંગે છે, પણ આજે ૧૦૦૦ – ૧ર૦૦ રૂા. વધી ગયા છે. તો એક તોલા સોનું આપે તો ૧૦૦૦ – ૧ર૦૦ રૂા. વધારે જાય અને તે વખતની કિંમત આપે એક તોલો સોનું આવતું નથી, તો આ સૂરતમાં મહર કેવી રીતે આપવી તે જણાવશો.

જવાબઃ– પૂછેલી સૂરતમાં નકકી કરવા મુજબ ઓરત ખરેખર એક તોલા સોનાની હકદાર છે અને જો સોનાના બદલે તે રોકડ રકમ લેવા રાજી હોય તો સોનાના આજના ભાવથી એક તોલાની કિંમત આપવામાં આવશે, મહરમાં સોનું નકકી કરતી વખતે સોનાનો જે ભાવ હતો તેનો એઅતેબાર નહીં કરવામાં આવે.                        (શામી ભા.ર)

Log in or Register to save this content for later.