[ર૧પ] ઉધાર મહરની અદાયગીમાં રૂપિયાની કિંમતની કમીનો એઅતિબાર થશે નહિ

Chapter : નિકાહ

(Page : 261-262)

સવાલઃ– એક માણસના નિકાહ મહર ઉધારે રૂા. ૧પ૦/– માં થયા હતા. રપ વર્ષ થયા હવે એ અદા કરે તો ૧પ૦ રૂા. કે પ૦૦ રૂા. આપવાના? અમુકનું કહેવું છે કે ચાલુ સમયે મહર રૂા. પ૦૦ લખાવી જોઈએ, તો મજકૂર માણસ લખાવેલ મહર અદા કરે તો વાંધો ખરો. જવાબ લખશોજી.

જવાબઃ– પતિએ પચ્ચીસ વર્ષો પહેલાં રૂપિયામાં જેટલી મહર નકકી કરી નિકાહ કર્યા હતા, તેટલી જ રકમ હાલ આપવી પડશે, રપ વર્ષો પછી ચાંદી કે સોનાના ભાવમાં જે તફાવત થયો છે, તેનાથી મહરની નકકી કરેલ રકમમાં કોઈ તફાવત નહિ પડે ચાહે, હાલ ચાંદીનો ભાવ જોતાં ૧પ૦ રૂપિયાએ મહરનું ઓછામાં ઓછુ પ્રમાણ બરાબર પણ નથી, પરંતુ જયારે નિકાહ થયા ત્યારે એ પ્રમાણ બરાબર હતું અને રૂપિયાનું વજન અને મુલ્ય ઘટવાથી તે તફાવત પડે તે દેવાદારે ચુકવવો જરૂરી નથી, ખુલાસો આ કે પતિના શિરે નકકી થયેલા ફકત ૧પ૦ રૂપિયા આપવાની જ જવાબદારી ગણાશે, બાકી રૂપિયાનું અવમૂલ્યન જોતાં પતિ વધુ રકમની સ્વેચ્છાએ ચૂકવણી કરવા ચાહે તો ઘણી સારી વાત છે.

(રસાઈલે ઈબ્ને આબિદીન ભાગ–ર, ફિકહી મકાલાત–૧)

Log in or Register to save this content for later.