Chapter : નિકાહ
(Page : 244-)
સવાલ :– નિકાહથી પાંચ આઠ દિવસ પહેલાં છોકરીથી નિકાહની રજા લેતી વખતે મહરની રકમ તેને મહર કહી દેવામાં આવે છે તો એ બરાબર છે કે નહિ? એક ભાઈનું કહેવું છે કે મહર નિકાહ બાદ આપવી જરૂરી છે. નિકાહ પહેલાં આપેલી રકમ હદિયો થઈ જાય છે.
જવાબ :– મહર નિકાહ કરવાથી વાજિબ થઈ જાય છે, એથી પહેલાં વાજિબ થતી નથી. પણ જે રકમ નિકાહથી પહેલાં મંગેતર ઓરતને મહર પેટે દેવામાં આવે છે તે મહર પેટે જ આપેલી ગણાશે, હદિયો નહિ ગણાય. માટે જો મહરની રકમ આપ્યા પછી શાદી થાય તો મહરની રકમ ફરી નહિ આપવી પડે અને સંજોગોનુસાર શાદી ન થઈ શકે તો આપેલી રકમ પાછી લઈ શકાય છે. (શામી–ર/૩૩૦, ર/૩૬૪)
Log in or Register to save this content for later.