Chapter : નિકાહ
(Page : 269)
સવાલઃ– નિકાહ વખતે વકીલ દુલ્હન પાસે રજા લેવા જાય છે ત્યારે રજા લેતી વખતે મહરની રકમ દુલ્હનના હાથમાં મહર તરીકે આપે છે તો ઈજાબ – કબૂલ થયા પહેલાં મહેર આપેલી અદા થશે કે નહિ ? અગર આપી દીધી છે તો ફરી અદા કરવી પડશે ?
જવાબ :– દુલ્હનથી રજા લેતી વખતે મહર તરીકે અપાતી રકમ મહર માટે એડવાન્સ આપેલી રકમ ગણાશે અને ઈજાબો કબૂલ પછી તે રકમ મહર પેટે વસૂલ થયેલી ગણાશે અને ઈજાબ – કબૂલ પછી નવી રકમ મહર પેટે નહિ આપવી પડે, અલબત્ત બેહતર આ છે કે રજા લેતી વખતે મહર આપવાની પધ્ધતિ છોડીને નિકાહની મજલિસમાં ઈજાબ – કબૂલ થયા પછી ઓરતના વકીલ કે વલીને મહરની રકમ ઓરતને પહોંચાડવા માટે આપી દેવી જોઈએ. (શામી–ર/૩૬૪,૩૬પ)
Log in or Register to save this content for later.