Chapter : નિકાહ
(Page : 267)
સવાલઃ– ઓરતને સમુહ નિકાહ વખતે મહરે બીજા દીનદાર વ્યકિતએ તમામ દુલ્હનોને ચુકવી દીધી હોય તો યોગ્ય ગણાશે કે પછી એમના ખાવિંદે ચૂકવવાની રહેશે ?
જવાબઃ– જો દીનદાર વ્યકિતએ દુલ્હાઓની રજા લઈને દુલ્હનોને મહર ચુકવી દીધી હોય તો વાંધો નથી એક માણસનું કર્ઝ તેની રજા લઈને બીજો માણસ ચૂકવી શકે છે, મહર એ પણ પત્નીનું પતિના શિરે એક કર્ઝ છે, જે બીજો માણસ તેની રજા લઈને ચૂકવી શકે છે, મહર પોતાની જ કમાણીમાંથી આપવી જરૂરી નથી. (શામી :ર)
Log in or Register to save this content for later.