[રરપ] તલાકે બાઈન પછી બીજા નિકાહમાં નવેસરથી મહર વાજિબ છે

Chapter : નિકાહ

(Page : 268-269)

સવાલ :–  તલાક બાઈનમાં બીજી વખત નિકાહ કરવામા આવે છે તો શું તેમાં મહર નવેસરથી મુકર્રર કરવી પડશે કે પહેલી મહર ચાલશે?

જવાબ :– જો એક તલાકે બાઈન આપી હોય જેમકે પૂછેલી સૂરતમાં એક તલાકે બાઈન પડી છે અને આથી પહેલાં કોઈ તલાક ન આપી હોય અથવા ફકત એક તલાક આપેલી હોય તો ઈદ્દતમાં નવેસરથી મહર નકકી કરવી પડશે અને બીજા નિકાહની પૂરી મહર નવેસરથી આપવી પડશે, પહેલા નિકાહની મહર કાફી નહિ ગણાય. (શામી ૩૩૦ ભા.ર)

Log in or Register to save this content for later.