Chapter : કુરબાની
(Page : 340-341)
સવાલ :– હું એક સામાન્ય દુકાનદાર માણસ છું. હું મારા વાલિદ સાહેબથી અલગ રહું છું. વાલિદ સાહેબ પાસે એક ઘર અને ત્રણ વિંઘા જમીન છે, વાલિદ સાહેબની મિલ્કતમાંથી હાલમાં મને કોઈ હક્ક મળ્યો નથી. હું દુકાન કરૂ છું તેમાં રૂપિયા ચાર હજારનો વેપારનો માલ છે, આ ચાર હજાર રૂપિયા મારી મૂડી છે, મારી પાસે રેહવા માટે માલિકીનું ઘર નથી, હાલમાં હું ભાડુતી મકાનમાં રહું છું, ઉપરાંત મારી ઉપર કોઈ કર્ઝ પણ નથી. ઉપરાંત મારી વાઈફ (ઔરત) પાસે સાત તોલા સોનું છે, તે તેની માલિકીનું છે તો ઉપરની સૂરતમાં મારી ઉપર કુરબાની વાજિબ થશે કે કેમ ? મારી ઔરત માટે શું હુકમ છે? એના ઉપર કુરબાની વાજિબ થશે કે કેમ?
જવાબઃ– ચાંદીનો ચાલુ ભાવ જોવામાં આવશે, જો તમારા વેપારનો માલ ચાંદીના ચાલુ ભાવના હિસાબે સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર છે તો તમારા ઉપર કુરબાની વાજિબ થઈ જશે. કુરબાનીના વાજિબ થવા માટે માલિકીનું મકાન હોવું જરૂરી નથી.(શામી–પ/ર૧૯)
તમારી ઔરત પાસે સાત તોલા સોના સિવાય કુરબાનીના દિવસોમાં જરૂરતથી વધારે થોડા પણ રૂપિયા પૈસા હોય અથવા ત્રણ જોડથી વધારે કપડાં હોય અથવા જરૂરતથી વધારે વાસણો અથવા બીજો કોઈ સામાન હોય તો એમના ઉપર પણ અલગ કુરબાની વાજિબ થઈ જશે. (બઝ્ઝાઝિય્યહ આલમગીરી સાથે –૬/ર૮૬)
Log in or Register to save this content for later.