Chapter : નિકાહ
(Page : 288-289)
સવાલ :– મસ્જિદમાં નિકાહ થાય છે ત્યારે મોટા ભાગે જમાઅત ખાનામાં નિકાહ થઈ ગયા પછી ખારેકો લૂટાવવામાં આવે છે. ખારેકો હાસિલ કરવા લોકો લૂટફાટ અને છીનઝપટ કરે છે અને શોર બકોર પણ ખૂબ થાય છે તો એના માટે શરીઅતનો શું હુકમ છે?
જવાબ :– પ્રથમ તો ખારેકો લૂટાવવાનો જે રિવાયતથી સુબૂત છે તે ઝઈફ હદીષ છે. અને ખારેકો મસ્જિદમાં લૂટાવવી કોઈ વાજિબ કે સુન્નત કામ નથી. અને તેના કારણે થતા બીજા કૃત્યો મસ્જિદમાં મકરૂહ અથવા નાજાઈઝ છે, જેમકે ઘોંઘાટ કરવો, લૂટફાટ અને છીનઝપટ કરવી, કોઈને નુકશાન થાય એ રીતે ખારેકો ફેંકવી કે લૂટવી, મસ્જિદમાં જ લોકોના ખારેકો ખાવાથી તેના ટુકડા અને ઠળિયાથી મસ્જિદની ચટાઈઓ ગંદી થવી, એઅ્તિકાફની નિય્યત વગર મસ્જિદમાં ખાવું. માટે માત્ર એક ઝઈફ હદીષના આધારે ઉપરોકત મકરૂહ અને નાજાઈઝ કૃત્યો કરી ખારેકો લૂટવી – લૂટાવવી અયોગ્ય અને ત્યાગપાત્ર છે. (ફતાવા રશીદિય્યહ – ૪પ૯, અશ્બાહ–૩૭૦)
Log in or Register to save this content for later.