Chapter : નમાઝ
(Page : 461)
સવાલ : અમુક લોકો નમાઝમાં કિરાઅત એવી રીતે પઢે છે કે હોઠ બંધ રાખે છે, બિલકુલ હોઠ ખોલતા નથી. તો આવી રીતે કિરાઅત પઢવાથી નમાઝમાં કોઈ ખરાબી આવશે કે કેમ ? અને નમાઝથી બહાર કુર્આન શરીફની તિલાવત કરતી વખતે પણ હોઠ ખોલ્યા વગર તિલાવત કરે છે, તો તે બાબત પણ ખુલાસો લખશો.
જવાબ : નમાઝની કિરાઅત અને નમાઝથી બહાર કુર્આન શરીફની તિલાવતના અસ્તિત્વ અને વુજૂદ માટે કિરાઅત અને તિલાવત કરનારના મોઢેથી એટલો અવાજ નીકળવો કે જો કોઈ આંતરિક કે બાહ્ય રૂકાવટ (દા.ત., બહેરાપણું, કોઈક પ્રકારનો શોર–ઘોંઘાટ) ન હોય તો પઢનાર પોતાના કાને સાંભળી શકે એ જરૂરી છે, જો એટલા અવાજથી કિરાઅત નહિ પઢે તો નમાઝમાં કિરાઅત અને નમાઝથી બહાર કુર્આન શરીફની તિલાવત કરેલી નહિ ગણાય અને નમાઝની કિરાઅત છૂટી જવાથી નમાઝ પણ દુરૂસ્ત અને જાઈઝ નહિ ગણાય. કિરાઅત અને તિલાવત કરતી વખતે હોઠ બંધ રાખવાથી બિલકુલ અવાજ નહિ નીકળે, માટે નમાઝમાં અને નમાઝથી બહાર કુર્આન શરીફની કિરાઅત અને તિલાવત વખતે હોઠ બંધ રાખવા જાઈઝ અને દુરૂસ્ત નથી. (‘શામી ર/રપર, ‘ઝકરિય્યા)
Log in or Register to save this content for later.