Chapter : નમાઝ
(Page : 459-460)
સવાલ : અમારે ત્યાં ઈમામ સાહેબ ઈશાની નમાઝમાં પારએ સયકૂલુનો બીજો રુકૂઅ પઢયા જેમાં ફલા તખ્શવ્હુમ વલા તખ્શવ્ની પઢયા, કિરાઅતની આ ગલતી ઉપર તેઓને લુકમો દેવામાં આવ્યો તો તેઓ ફરીવાર સુધારીને વખ્શવ્ની પઢયા તો હવે આ નમાઝ દુરૂસ્ત થઈ ગઈ કે તેનો ઈઆદહ કરવો જરૂરી છે ?
જવાબ : સવાલમાં દર્શાવેલી કિરાઅતની ગલતીથી નમાઝ ફાસિદ થઈ જાય છે; પરંતુ જો કોઈ મુકતદીના લુકમો દેવાથી લોટાવીને સહીહ પઢી લે અથવા કોઈના લુકમો આપ્યા વગર ઈમામ પોતે જ ફરીવાર સહીહ પઢી લે તો આ પ્રમાણે ગલત પઢી લીધા પછી સહીહ પઢી લેવાની સૂરતમાં નમાઝના ફાસિદ કે સહીહ થવા બાબત ફુકહાએ કિરામ (રહ.)ના બે મંતવ્યો છે.
એક મંતવ્ય તો આ છે કે,
નમાઝ ફાસિદ જ રહેશે કિરાઅત સહીહ પઢી લેવાથી નમાઝ દુરૂસ્ત નહિ ગણાય બલ્કે નમાઝનો ઈઆદહ કરવો જરૂરી છે.
અને બીજું મંતવ્ય આ છે કે,
એક વાર ગલત પઢયા પછી કિરાઅત સહીહ પઢી લેવાથી નમાઝ દુરૂસ્ત અને જાઈઝ થઈ જશે, નમાઝનો ઈઆદહ કરવો જરૂરી નથી. (‘ફતાવા રહીમિય્યહ ૩/રપ૦)
મુફતીએ આઝમ પાકિસ્તાન હઝરત મૌલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) આ બંને મંતવ્યોનો વિરોધાભાસ આ પ્રમાણે દૂર ફરમાવે છે કે,
જ્યારે સામિઅ (સાંભળનાર)ના બતાવવાથી સહીહ પઢી લીધું તો નમાઝ સહીહ થઈ ગઈ અને હઝરત ગંગોહી (કુદ્દિસ સિર્રુહુ)એ અગર ઈઆદહ કરાવ્યો હોય તો તે એહતિયાત અને બેહતરીના દરજામાં છે માટે બહેતર એ જ છે કે નમાઝનો ઈઆદહ કરી લેવામાં આવે. (‘ઈમ્દાદુલ મુફતીન ૩પ૭)
ફકીહુલ ઉમ્મત હઝરત મુફતી મહમૂદ હસન ગંગોહી (દા.બ.) ઉકત બંને મંતવ્યોનો વિરોધાભાસ આ પ્રમાણે દૂર ફરમાવે છે કે,
‘‘પહેલું મંતવ્ય ફર્ઝ નમાઝ વિશે છે અને બીજું મંતવ્ય તરાવીહ વિશે છે. (‘મલફૂઝાત ૧/ર૪, ઈમ્દાદુલ ફતાવા ૧/રપ૧)
ઉપરોકત વિગતથી સાબિત થાય છે કે પૂછેલી સૂરતમાં ફર્ઝ નમાઝનો ઈઆદહ કરી લેવો એહતિયાત અને બહેતર છે.
Log in or Register to save this content for later.