[૪૩૪] બે સૂરતો વચ્ચેની સૂરત છોડી દેવી

Chapter : નમાઝ

(Page : 457)

સવાલ : ઈમામ સાહેબ નમાઝની કિરાઅતમાં બે નાની સૂરતોના વચ્ચે એક નાની સૂરત ભૂલથી અથવા ઈરાદાપૂર્વક છોડી આપે તો શું હુકમ છે? અને બે નાની સૂરતોના વચ્ચે એક લાંબી સૂરત છોડી દે તો શું હુકમ છે?

જવાબ : જો ઈમામ સાહેબે પહેલી રકાતમાં સૂરએ ફાતિહા પછી એક નાની સૂરત પઢીને બીજી રકાતમાં તે સૂરત પછી આવેલી નાની સૂરત છોડીને તેના પછીની સૂરત ઈરાદાપૂર્વક પઢી હોય તો આ પ્રમાણે બે સૂરતો વચ્ચેની નાની સૂરત ઈરાદાપૂર્વક છોડવી મકરૂહ છે અને જો ભૂલથી છૂટી ગઈ હોય તો મકરૂહ નથી અને જો પહેલી રકાતમાં સૂરએ ફાતિહા પછી પઢેલી સૂરત પછી આવેલી સૂરત એટલી લાંબી હોય કે જો બીજી રકાતમાં સૂરએ ફાતિહા પછી તે સૂરત પઢવામાં આવે તો બીજી રકાત પહેલી રકાત કરતાં લાંબી થઈ જાય તો આવી સૂરતમાં સૂરએ ફાતિહા પછી તે લાંબી સૂરત છોડીને તેના પછીની સૂરત પઢવી અને બે સૂરતો વચ્ચેની તે લાંબી સૂરત છોડવી મકરૂહ નથી. પરંતુ જો પહેલી રકાતમાં સૂરએ ફાતિહા પછી પઢેલી સૂરત પણ એટલી લાંબી હોય કે બીજી રકાતમાં સૂરએ ફાતિહા પછી તેની પછીની સૂરત              પઢવામાં આવે તો બીજી રકાત પહેલી રકાત કરતાં લાંબી થવા ન પામે તો આ સૂરતમાં બીજી રકાતમાં સૂરએ ફાતિહા પછી પહેલી રકાતમાં પઢેલી સૂરત પછીની લાંબી સૂરત ઈરાદાપૂર્વક છોડી દેવી અને તે પછીની સૂરત પઢવી પણ મકરૂહ છે.           (‘શામી ૧/૩૬૭, ‘કબીરી)

Log in or Register to save this content for later.