[૪૩૧] નમાઝીની જમણી–ડાબી તરફ કે આગલી–પાછલી તરફ અરીસામાં નમાઝીનો પ્રતિબિંબ પડવો

Chapter : નમાઝ

(Page : 455-456)

સવાલ :– હું જે જગ્યાએ નમાઝ પઢું છું તેની બાજુમાં અલમારી છે તેમાં અરીસાઓ લાગેલા છે, હું નમાઝ પઢું છું ત્યારે મારું મોઢું અરીસામાં દેખાતું નથી, ફકત તે બાજુમાં હોય છે. તો નમાઝ પઢતી વખતે આ પ્રમાણે અરીસાઓનું બાજુમાં હોવું કેવું છે ?

જવાબ : નમાઝ પઢતી વખતે તમારી જમણી–ડાબી તરફ અથવા આગલી– પાછલી તરફ અલમારી ઉપર અરીસાઓ લાગેલા હોય અને નમાઝ પઢતી વખતે તેમાં તમારો પ્રતિબિંબ પડતો હોય એ નાજાઈઝ અને મકરૂહ નથી. કારણકે કોઈ વસ્તુના માત્ર પ્રતિબિંબ ઉપર ફોટાનો હુકમ લાગતો નથી, જેમ કે પોતાના પડછાયા પર ફોટાના હુકમ નથી લાગતો. અલબત્ત કિબ્લા તરફ અરીસો એ પ્રમાણે ખુલ્લો ન હોવો જોઈએ કે જેમાં આપણી સૂરત દેખાય, કારણકે નમાઝમાં તે તરફ ધ્યાન ખેંચાવાનો ભય છે.                                                          (‘શામી ૧)

Log in or Register to save this content for later.