Chapter : નમાઝ
(Page : 456)
સવાલ :– ‘બેહિશ્તી ઝેવર ભાગ ર, પેજ નં.૭પ મસ્અલહ નં.૪ માં લખ્યું છે કે,
‘અગર કોઈ માણસને નમાઝની હાલતમાં છીંક આવે અને તે નમાઝ પઢવાવાળાએ અલ્હમ્દુલિલ્લાહ કહી દીધું તો તેનાથી નમાઝ નહિં તૂટે.
પરંતુ જો એક માણસ નમાઝમાં હોય અને બીજો માણસ વુઝૂ કરીને આવી રહ્યો હોય અને આ આવનાર માણસને છીંક આવે અને નમાઝ પઢનાર માણસ અલ્હમ્દુલિલ્લાહ કહે અને યરહમુકલ્લાહ ન કહે તો આ નમાઝ પઢનાર માણસની નમાઝ બાકી રહેશે કે તૂટી જશે ?
જવાબ :– પૂછેલી સૂરતમાં બીજાની છીંક સાંભળીને નમાઝમાં અલ્હમ્દુલિલ્લાહ કહેનારની નિય્યત જો છીંકનારને જવાબ આપવાની હોય અથવા સવાબની આશાએ અલ્હમ્દુલિલ્લાહ કહ્યું હોય તો તેની નમાઝ ફાસિદ નહિ થાય. જો કે નમાઝીએ આ નિય્યતથી પણ નમાઝમાં અલ્હમ્દુલિલ્લાહ કહેવું ન જોઈએ અને જો નમાઝીએ છીંકનારને એ વાત સમજાવવા અને શીખવાડવાની નિય્યતથી અલ્હમ્દુલિલ્લાહ કહ્યું કે તારે આ પ્રમાણે અલ્હમ્દુલિલ્લાહ પઢવું જોઈએ તો આ સૂરતમાં ‘શર્હે મુન્યહ પે. ૪૩૯ અને ‘શામી ૧/૪૧૬ થી તો એવું સમજાય છે કે નમાઝ ફાસિદ નહિ થાય, પરંતુ બીજી કિતાબોમાં એ વાતની સ્પષ્ટતા છે કે આ સૂરતમાં નમાઝીની નમાઝ ફાસિદ થઈ જશે અને દલીલની દ્રષ્ટિએ એ જ રાજિહ અને દુરૂસ્ત છે. (‘અલ બહર ર/પ, ‘તહતાવી ૧/ર૬૩)
Log in or Register to save this content for later.