Chapter : નમાઝ
(Page : 458)
સવાલ : કોઈ માણસ ખમીસ કે કુરતાના ગજવામાં નાપાક રૂમાલ મૂકીને નમાઝ પઢયો તો તેની નમાઝ દુરૂસ્ત થઈ કે નહિ ?
જવાબ : ગજવામાં મૂકેલા નાપાક રૂમાલમાં જો એટલા પ્રમાણમાં નાપાકી લાગેલી હતી કે જેટલા પ્રમાણમાં કોઈ કપડા ઉપર નાપાકી લાગવાથી નમાઝ જાઈઝ થતી નથી, તો તેની નમાઝ જાઈઝ અને દુરૂસ્ત નહિ ગણાય, એટલે કે જો રૂમાલ પર લાગેલી નાપાકી નજાસતે ગલીઝહ પ્રકારની ઘટ (જાડી) નાપાકી હોય (જેમ કે માનવ મળ) અને તે સાડા ચાર માશાના વજનથી વધારે હોય અથવા તે નજાસતે ગલીઝહ પ્રકારની પાતળી, વહેતી નાપાકી હોય (જેમ કે માનવ મૂત્ર) અને હથેળીના અંદરના ખાડાવાળા ભાગથી વધારે પહોળાઈમાં ફેલાયેલી હોય અથવા તે નજાસતે ખફીફહ પ્રકારની નાપાકી હોય (જેમકે ગાય, ભેંસનો પેશાબ) અને ચોથાઈ કપડા બરાબર અથવા તેથી વધુ પ્રમાણમાં લાગેલી હોય તો આ સૂરતોમાં ગજવામાં નાપાક રૂમાલ મૂકીને પઢેલી નમાઝ જાઈઝ અને સહીહ નથી અને જો રૂમાલ પર લાગેલી નાપાકી ઉપર લખેલી વિગત મુજબ અવરોધરૂપ પ્રમાણથી ઓછી હતી તો નમાઝ જાઈઝ તો ગણાશે, પરંતુ મકરૂહ થયેલી ગણાશે. માટે કોઈ પણ પ્રકાર અને પ્રમાણમાં લાગેલી નાપાકીવાળો રૂમાલ નમાઝ પઢતી વખતે ગજવામાં ન રહેવા દેવો જોઈએ. (‘શામી ૧/પર૦, ર/૭૪, ઝક.)
Log in or Register to save this content for later.