[૪૧૯] ઈમામ બીજા કઅ્‌દહ પછી ઉભા થઈ જાય

Chapter : નમાઝ

(Page : 444)

સવાલ :– ઈમામ સાહેબે મગરિબની નમાઝ પઢાવી અને બીજા કઅ્‌દહ પછી ચોથી રકઅત માટે ભૂલથી ઉભા થઈ ગયા, પાછળથી મુકતદીઓએ લુકમો આપ્યો, પરંતુ ઈમામ સાહેબ ચાર રકઆત સજદએ સહવ સાથે પૂરી કરી, પાછળથી અમૂક લોકોએ કહયું કે નમાઝ ફરીથી પઢાવો, ત્યારે ઈમામ સાહેબે કહયું કે નમાઝ થઈ ગઈ, પરંતુ લોકોના ઈસરાર પર ઈમામ સાહેબે ફરીથી મગરિબની નમાઝ પઢાવી, તો પૂછવાનું એ કે બન્નેવમાંથી સહીહ કોનું માનવું ? ઈમામ સાહેબનુ કે દોહરાવવા વાળા લોકોનું ?

જવાબ :– ઈમામ સાહેબે સજદએ સહવ કરી લીધો એટલે નમાઝ સહીહ અને દુરૂસ્ત થઈ ગઈ હતી, અને ઈમામ સાહેબની વાત બરાબર હતી, નમાઝ લોટાવવી વાજિબ કે મુસ્તહબ ન હતી, અલબત્ત, જો ઈમામ સાહેબે ચોથી રકઅતનો સજદહ કરી લીધો હતો અને પછી ભૂલ જણાઈ હતી તો તેવણે પાંચમી રકઅત પઢી બે રકઅત પઢી લેવી મુસ્તહબ હતી અને પછી સજદએ સહવ કરવો જોઈતો હતો અને ચોથી રકઅતનો સજદહ કરતા પહેલાં ભૂલ જણાઈ હતી તો તેવણે તૂરત બેસી જઈ સલામ કહી સજદએ સહવ કરી લેવો જોઈતો હતો અને આવી સૂરતમાં ઈમામ જો ભૂલથી ચોથી રકઅત માટે ઉભા થઈ જાય, તો મુકતદીઓએ લુકમો આપીને કઅ્‌દહમાં જ બેસી રહેવું જોઈએ અને ઈમામના કયામમાંથી બેસવાની રાહ જોવી જોઈએ. જો ચોથી રકઅતનો સજદહ કરતા પહેલાં લુકમો આપવાથી ઈમામ બેસી જાય તો ઈમામ સાથે સજદએ સહવ કરી સલામ ફેરવવી જોઈએ અને લુકમો આપવા છતાં ઈમામ સાહેબ કઅ્‌દહમાં ન બેસે અને ચોથી રકઅતનો સજદહ કરી લે તો કઅ્‌દહમાં બેઠેલા મુકતદીઓએ સલામ ફેરવી પોતાની નમાઝ પૂરી કરી લેવી જોઈએ.                                         (શામી – ૧/ પ૦ર)

Log in or Register to save this content for later.