Chapter : નમાઝ
(Page : 443)
સવાલ :– હમારે ત્યાં મસ્જિદ છે, તે નમાઝીઓના વધારાને કારણે તંગ પડી રહી છે, ઈમામ પાછળ ચાર સફ છે, જે બધી નમાઝમાં ભરાઈ જાય છે. મસ્જિદનો મેહરાબ બનાવેલ નથી, તો આ હાલતમાં શું કરવું? ઈમામના મુસલ્લાને થોડો આગળ હટાવી આગલી સફ પૂરી કરવી જોઈએ કે પછી આગલી સફ ખાલી રાખી નમાઝીઓને ઉપરના મંઝલે મોકલવા જોઈએ? જયાં પૂરી સગવડ છે, આ બાબત નમાઝીઓમાં ઈખ્તિલાફ છે, તો આ બાબત શરીઅતનો શું હુકમ છે?
જવાબ :– જયારે જમાઅતખાનુ ભરાઈ જાય અને બીજા માળે નમાઝ પઢવાની પૂરી સગવડ છે તો વધારાના મુકતદીઓએ નમાઝ માટે ઉપર જવું જોઈએ અને ઈમામ સાથે સફ ન બનાવવી જોઈએ, કારણ કે બે થી વધુ મુકતદીઓ હોય અને જગ્યાની તંગી ન હોય તો ઈમામની પાછળ સફ બનાવવી વાજિબ છે, સાથે સફ બનાવવી જાઈઝ નથી. (શામી –૧)
Log in or Register to save this content for later.