[૪૧પ] હનફી ઈમામ માટે રફએ યદૈન

Chapter : નમાઝ

(Page : 441)

સવાલ :–  હું સઉદીમાં મુઅઝ્‌ઝિન છું, મારે ઈમામની ગેર હાજરીમાં નમાઝ પઢાવવી પડે છે, સઉદી લોકો એમના મસ્લક પ્રમાણે દરેક તકબીરમાં કાનો સુધી હાથ ઉઠાવે છે તો મારે પણ એજ પ્રમાણે દરેક તકબીરમાં હાથ ઉઠાવી નમાઝ પઢાવવી જોઈએ કે નહી? કારણ કે પાછળ નમાઝ પઢનાર વધુ પ્રમાણમાં સઉદી હોય છે, હું હનફી છું અને એમ ન કરૂં અને એ લોકો મજબુર કરે તો મારે શું કરવું ?

જવાબ :– હનફીએ હનફી મસ્લક મુજબ નમાઝ પઢવી પઢાવવી જોઈએ, અલબત્ત, મુકતદીઓના મસ્લક મુજબ જે અમલ કરવાથી હનફી મસલક મુજબ નમાઝમાં કરાહત ન આવતી હોય, તે આમાલ બીજા મસલક મુજબ મુકતદીઓના લઈ કરી શકાય છે, તકબીરે તહરીમા સિવાય હાથ ઉઠાવવા હનફી મસલક મુજબ મનસૂખ અને મકરૂહ છે, માટે રફએ યદૈનવાળા મુકતદીઓના કારણે તેઓના કહેવાથી હાથ ન ઉઠાવવા જોઈએ, મજબૂર કરે તો નમાઝ પઢાવવાથી મઅઝૂરી રજૂ કરી દેવી જોઈએ.                                                    (શામી–૧)

Log in or Register to save this content for later.