Chapter : નમાઝ
(Page : 450)
સવાલ :– (૧)કિરાઅત વાળી નમાઝમાં આપણે પહેલી રકઅતમાં કયાં સુધી શરીક થઈએ તો તકબીરે ઉલામાં શરીક થયેલા ગણાઈએ ?
(ર) કિરાઅત વગરની નમાઝમાં પહેલી રકઅતમાં કયાં સુધી શરીક થઈએ તો તકબીરે ઉલામાં શરીક થયેલા ગણાઈએ?
(૩) કોઈ પણ અઝાન પછી ફર્ઝ નમાઝથી પહેલાં જમાઅત ઉભી થવાના બે–ત્રણ મીનીટ પહેલાં નફલ અથવા સુન્નત પઢતા હોય ત્યારે જમાઅત ઉભી થાય અને તકબીરનો અવાઝ આપણને આવે તો તકબીરે ઉલામાં શરીક થવા માટે અત્તહિય્યાત પઢીને સલામ ફેરવી દેવી કે દુરૂદ, દુઆએ માસુરહ પઢીને સલામ ફેરવવી ?
જવાબ :– (૧) (ર) જો ઈમામ સાથે પહેલી રકઅતમાં શરીક થાય તો તે તકબીરે ઉલાની ફઝીલત પ્રાપ્ત કરનાર ગણાશે, ચાહે જહરી નમાઝ હોય કે સિર્રી નમાઝ હોય. (શામી–૧/૩પ૩, આલમગીરી–૧/૬૯)
(૩) મુખ્તસર દુરૂદ શરીફ અને દુઆ પઢીને સલામ ફેરવવી જોઈએ.
(શામી – ૧ / ૪૮ર, આલમગીરી–૧/૧ર૦)
Log in or Register to save this content for later.