Chapter : નમાઝ
(Page : 449)
સવાલ :– અમારા ભૂજ શહેરના એક ફળિયામાં સાત મોટી સફોની મસ્જિદ છે અને મિમ્બર અને મેહરાબ પણ છે. (મેહરાબની અંદર ઈમામ સાહેબ ઉભા રહીને નમાઝ પઢાવી શકે છે તે જગ્યા અલગ) એક સફમાં વીસ મુસલ્લીઓ આવી શકે છે, અને રોજના નમાઝીઓ દોઢ સફ જેટલા હોય છે, ખાલી જુમ્અહના દિવસે ફુલ થઈ જાય છે, બાકી દિવસોમાં અમારા જમાઅતીઓ કયારેક મિહરાબથી એક અથવા બે સફ મુસલ્લો હટાવીને ઈમામને ઉભો રાખે છે તેના ઉપર અમલ કરવો સહીહ છે?
જવાબ :– જુમ્અહ અને ઈદના દિવસે જયારે નમાઝીઓની ભીડ હોય ત્યારે ઈમામ મિહરાબમાં સજદહ થાય એ રીતે નમાઝ પઢાવે એ વિના કરાહતે જાઈઝ છે, પરંતુ ઈમામ સાહેબે મિહરાબની લાઈનથી પગ બહાર રાખવા જોઈએ, ચાહે રુકૂઅ સજદહ વગેરે મિહરાબમાં થાય તેમાં વાંધો નહિ. અને બીજા સમયે જયારે ભીડ ન હોય ત્યારે એક – બે સફ મિહરાબથી પાછળ ઈમામનો મુસલ્લો રાખવો એ પણ જાઈઝ છે. (શામી – ૧ / ૪૩૪)
Log in or Register to save this content for later.