Chapter : નમાઝ
(Page : 451)
સવાલ :– જે નમાઝીઓને (બીમારી વિગેરેના કારણે) એર કંડીશનમાં ફાવટ ન આવતી હોય, તેઓ જમાઅતખાનાની બહાર નમાઝ પઢતા હોય, (ખાસ કરીને ફજરમાં) અને બે ત્રણ સફ ખાલી રહી ગઈ હોય, તો શું આવી રીતે જમાઅત ખાનાની સફ ખાલી છોડી બહાર નમાઝ પઢનારની નમાઝ થઈ શકે ?
જવાબ :– તેમની નમાઝ તો દુરૂસ્ત થઈ જશે, પરંતુ વ્યવસ્થાપકો ગુનેહગાર થશે, કારણ કે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ જમાઅતની નમાઝમાં બીમાર ઘરડા અને અશકત બધાંની રિઆયત કરવાનો હુકમ ફરમાવ્યો છે. (શામી –૧)
Log in or Register to save this content for later.