[૧૬૯] ખ્રિસ્તી ઓરતથી નિકાહ

Chapter : નિકાહ

(Page : 169-213)

સવાલઃ–ઈસ્લામમાં ખ્રિસ્તી છોકરી સાથે શાદી કરવી જાઈઝ છે, તે એ રીતે કે તે તેના ધર્મ ઉપર રહી શકે, આ માટે શું તરીકો છે? કેટલા મુસલમાન શાક્ષી જોઈએ? અને મુસલમાન શાક્ષી ન હોય તો ખ્રિસ્તી શાક્ષીઓથી ચાલી જશે કે કેમ ? જેમકે કોર્ટમાં શાદી કરે અથવા તો ખાનગીમાં નિકાહ કરે અને ગવાહ ફકત ખ્રિસ્તી ઓરતો જ હોય.

જવાબઃ– જો કોઈ ઓરત ખરેખર ખ્રિસ્તી હોય અને હઝરત ઈસા (અલૈ.)ને અલ્લાહના પયગમ્બર અને ઈનજીલને આસમાની કિતાબ માનતી હોય, તો તેની સાથે કોઈ મુસ્લિમે નિકાહ કરવા જાઈઝ તો છે, પરંતુ મકરૂહ છે, માટે કોઈ મજબૂરી વગર ન કરવા જોઈએ. (શામી–ર/ર૮૯)

                અને ખ્રિસ્તી ઓરતના નિકાહમાં ગવાહોનું મુસ્લિમ હોવું જરૂરી નથી, અગર બે ખ્રિસ્તી પુરુષો અથવા એક ખ્રિસ્તી પુરૂષ અને બે ખ્રિસ્તી ઓરતો ગવાહ તરીકે હશે તો પણ તેની સાથે મુસ્લિમના નિકાહ જાઈઝ થઈ જશે, પરંતુ ફકત ખ્રિસ્તી ઓરતોની ગવાહી અથવા ફકત મુસ્લિમ ઓરતોની ગવાહી જાઈઝ નથી, બલ્કે સાથે કોઈ એક મુસ્લિમ અથવા ખ્રિસ્તી પુરૂષનું હોવું જરૂરી છે.                  (શામીઃ ર/ ર૭૪)

Log in or Register to save this content for later.