Chapter : નિકાહ
(Page : 208-209)
સવાલઃ– એક બહેનની શાદી થયેલી છે તેની બહેને તેના બનેવી સાથે બદકારી કરાવ્યા બાદ તેને બનેવીના હમલ રહી ગયા, બાદ તે હામિલહના નિકાહ એક માણસ સાથે પઢાવવામાં આવ્યા, તો બન્નેવ બહેન નિકાહમાં રહી શકશે કે નહીં? અથવા નિકાહ બીજા સાથે પઢવી પડે ? અને બીજા સાથે નિકાહ પઢીને તલાક લઈને અસલ ધણી સાથે નિકાહ પઢે, હમલ રહી ગયેલ બહેને પોતાના બનેવીનું નામ કબૂલ્યું છે.
જવાબઃ– જે બહેનને હરામના હમલ રહી ગયા છે તેના હરામ હમલની હાલતમાં કરેલા નિકાહ દુરસ્ત અને જાઈઝ છે, પરંતુ તેના પતિએ આ ઓરત સાથે ત્યાં સુધી પતિ – પત્ની તરીકેના સંબંધો રાખવા જાઈઝ નથી જયાં સુધી આ હમલ પેદા ન થઈ જાય.
અને આ ઓરતના બનેવી માટે પણ પોતાની ઓરતથી ત્યાં સુધી પતિ – પત્ની તરીકેના સંબંધથી બચવું અને અલગ રહેવું જરૂરી છે, જયાં સુધી એની સાળીને હમલ પેદા ન થઈ જાય, બાકી બન્નેવ બહેનોના નિકાહ ઉપર કોઈ અસર નહિ પડે અને હરામ હમલ પેદા થયા પછી બીજા નિકાહ કરવાની કે ઈદ્દત ગુઝારવાની કોઈ જરૂરત નહીં રહે. (શામી :ર/ર૮૧, ઈ. મુફતી – પપ૩)
Log in or Register to save this content for later.