[૧૬૦] શીઅહ છોકરા સાથે સુન્નીર છોકરીના નિકાહ

Chapter : નિકાહ

(Page : 197-198)

સવાલ :– જે ઓરતની શાદી એવા મર્દ સાથે થઈ હોય કે જેને આપણે શીઅહ મઝહબવાળા કહીએ છીએ તો તેવા મર્દ સાથે નિકાહ થઈ શકે કે કેમ?

જવાબઃ– શીઅહ લોકોમાં ઘણા ફિરકહ છે, તેમાંથી અમુકના અકીદાઓ એવા છે કે મુસલમાન ગણી શકાય નહીં. માટે જો જે મર્દ સાથે નિકાહ કરવાના હોય તે એવા અકીદાઓ રાખતો હોય કે જે કુર્આન હદીસથી સ્પષ્ટ રીતે સાબિત બાબતો વિરૂધ્ધ હોય, (જેમકે હઝ.અલી (રદિ.)ને ખુદા માને અથવા હઝરત જિબ્રઈલ (અલૈ.)ની વહી લાવવામાં ભૂલ થઈ છે એમ માને અથવા હઝ. અબૂ બક્ર (રદિ.)ના સહાબી હોવાનો ઈન્કાર કરે અથવા હઝ. આઈશા (રદિ.) પર બદકારીનો આક્ષેપ મુકે કે કુર્આન શરીફને અધુરું કે ફેરફાર થયેલું માને) તો તે વગર શંકાએ કાફિર છે, તેનાથી શાદી ન થઈ શકે. હાં, એવો કોઈ અકીદો ન હોય તો તે મુસલમાન છે પણ તે છતાં ફાસિક અને બદકાર છે માટે સુન્‍ની છોકરીની શાદી તેની સાથે કરવી હિતાવહ નથી.        (શામીઃર/ર૮૯)

Log in or Register to save this content for later.