Chapter : કુરબાની
(Page : 314-315)
સવાલઃ– કોઈ માણસ પાસે ચાર–પાંચ જોડ કપડાં છે અને તેની કિંમત નિસાબ સુધી પહોંચી જાય છે, તો તેના ઉપર કુરબાની વાજિબ થશે કે નહિ ?
જવાબઃ– જે માણસ પાસે ચાર–પાંચ જોડ કપડાં છે. તેમાંથી ત્રણ જોડ કપડાં તો તેની પહેરવેશની જરૂરતના ગણાશે, કુરબાનીના નિસાબમાં નહિ ગણાય અને ત્રણ જોડથી વધારાના કપડાં પહેરવેશની જરૂરતથી વધારે ગણાશે અને તે વધારાના કપડાંની કિંમત કુરબાની અને સદકએ ફિત્રના નિસાબમાં ગણવામાં આવશે, જો ફકત કુરબાની વાજિબ થવા પાત્ર નિસાબના પ્રમાણમાં હોય અથવા મઝકૂર વધારાના કપડાંની કિંમત બીજી વધારાની વસ્તુઓની કિંમત સાથે મળીને અથવા સોના, ચાંદી , રોકડ રકમ કે વેપારના માલ સાથે મળીને નિસાબમા પ્રમાણમાં થતી હોય તો મઝકૂર માણસ માલદાર ગણાશે અને તેના ઉપર કુરબાની વાજિબ ગણાશે. જો કુરબાની વાજિબ થવાના નિસાબમાં ગણવામાં આવતી અનેક વસ્તુઓમાંથી (એટલે કે સોનું, ચાંદી, રોકડ રકમ, વેપારનો માલ અને પહેરવા, ઓઢવા, ખાવા, પીવા રહેવા અને ધંધાકીય જરૂરતો માટે વપરાતી વસ્તુઓથી વધારાની વસ્તુઓમાંથી) ફકત એકલું સોનું હોય તો માલદારીનો નિસાબ સાડા સાત તોલા સોનું ગણાશે અને જો મઝકૂર વસ્તુઓમાંથી બે અથવા બેથી વધુ વસ્તુઓ હોય તો તે અનેક વસ્તુઓની કિંમત મળીને સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર માલદારીનો નિસાબ ગણાશે. (બઝા. કમ આલમગીરી–૬/ર૮૭, શામી–પ)
Log in or Register to save this content for later.