[ર૪૮] ગરીબ હાજી માટે ઈદ તથા હજની કુરબાની

Chapter : કુરબાની

(Page : 313-314)

સવાલઃ– એક માણસ સાહિબે માલ નથી. તેને એક બીજો ભાઈ હજજે બયતુલ્લાહ માટે લઈ જાય છે. તો લઈ જનારે તે માણસની હજની કુરબાની ત્યાં મકકહ મુર્કરમહમાં તો કરવી પડશે, પરંતુ તેના પોતાના વતનમાં પણ કરવી પડશે કે નહિ?

જવાબઃ– જે માણસ સાહિબે માલ ન હોય અને ઝકાતનો હકદાર ગરીબ હોય, તેવા હજમાં જનાર માણસ ઉપર ઈદની કુરબાની ન વતનમાં આપવી વાજિબ છે અને ન મકકહમાં આપવી વાજિબ છે અલબત્ત, જો મજકૂર ગરીબ માણસ તમત્તુઅ અથવા કિરાન પ્રકારની હજ કરે તો તેની ઉપર હજની કુરબાની કરવી વાજિબ છે અને મઝકૂર હજની કુરબાની તેના પોતાના ઉપર વાજિબ છે. તેને હજ માટે લઈ જનાર ઉપર વાજિબ નથી. અલબત્ત, તેને હજમાં લઈ જનાર ભાઈ તેની ઈજાઝત લઈ તેના તરફથી હજની કુરબાની કરી આપશે તો તેની હજની વાજિબ કુરબાની દુરસ્ત અને અદા થઈ જશે. (ગુન્યહ ૧૮૬, શામી–ર/પ)

Log in or Register to save this content for later.