[ર૩૯] મુસાફિર હાજી પર ઈદની કુરબાની

Chapter : કુરબાની

(Page : 303-304)

સવાલઃ–  જે હાજીઓ હિન્દુસ્તાન અથવા બીજા કોઈ દેશથી હજ પઢવા માટે આવે છે, તેમના ઉપર બકરાઈદની કુરબાની વાજિબ છે કે નહિ? ઘણા હિન્દુસ્તાનીઓ તો એવા હોય છે કે જે પહેલેથી જ નોકરી અર્થે મકકતુલ મુર્કરમહ અથવા તેની આસપાસ રહેતા હોય છે અને ત્યાંથી જ હજ પઢવા આવે છે.

જવાબઃ– મુસાફિર હાજી ઉપર ઈદની કુરબાની વાજિબ નથી. માટે જે ગેરમુલ્કી હાજીઓ પોતાના વતનથી હજ પઢવા ગયા છે તેમના ઉપર ઈદની કુરબાની વાજિબ નથી. કારણ કે તેઓ મુસાફિર છે અને જે હિન્દુસ્તાની હાજીઓ મકકતુલ મુર્કરમહમાં નોકરી અર્થે પહેલેથી જ રહે છે અને ત્યાં ૧પ દિવસ અથવા વધારે રહેઠાણની નિય્યત કરી ચૂકયા હતા તો તેઓ મુસાફિર નથી, માટે એવા હિંદુસ્તાની હાજીઓ પર ઈદની કુરબાની વાજિબ છે. એવી જ રીતે જે વિદેશી હાજીઓ પહેલેથી મકકતુલ મુકર્રમહની આસપાસ એટલે નજીક રહેતા હોય કે  નોકરીની રહેઠાણની જગ્યાએથી હજનો સફર કરવાથી શરઈ મુસાફિર નથી બનતા એટલે કે લગભગ ૭૮ કિલોમીટરનો સફર નથી થતો, તેવા હાજીઓ પર પણ ઈદની કુરબાની વાજિબ થશે. હા, તે વિદેશી હાજીઓ જે સઉદીમાં તો રહે છે પણ હજ માટે સફર કરતા શરઈ મુસાફિર બની જાય છે તેમના ઉપર ઈદની કુરબાની વાજિબ નથી.    (અલ્‌ બદાઈઅ–પ/૬૩)

Log in or Register to save this content for later.