[ર૩૮] ઈસાલે સવાબ માટે હજ્જે તમત્તુઅ

Chapter : હજ

(Page : 297-298)

સવાલ :– અગર કોઈ માણસ પોતાની ઈચ્છાથી  અને સ્વખૂશી કોઈના મોકલ્યા વગર પોતાના મરહૂમ વાલિદ સાહેબ તરફી હજ્જે બદલ હજે તમત્તુઅની સૂરતમાં પઢયો અને ઈસાલે સવાબની નિય્યતથી તેણે હજે તમત્તુઅ પઢી તો તેના મરહૂમ વાલિદ સાહેબને હજ્જે બદલનો સવાબ પહોંચશે કે નહિ?

જવાબ :– મરહૂમ વાલિદ સાહેબ તરફથી તેમના ઈસાલે સવાબ માટે પોતાના ખર્ચે સ્વેચ્છાએ પઢેલી હજે તમત્તુઅ સહીહ અને તેના વાલિદ સાહેબ મરહૂમને તેના સવાબ પણ પહોંચશે. ઈસાલે સવાબ માટે હજે ઈફરાદ, કિરાન અને તમત્તુઅ દરેક સૂરતમાં હજ પઢી શકાય છે. (હિદાયહ – ર૭૯, શામી–૧/૬૦પ)

                કોઈ માણસના પોતે ખર્ચ આપી બીજાને બદલ માટે મોકલવાની સૂરતમાં મોકલનારની ઈજાઝતથી હજે તમત્તુઅ કરવાના મસ્અલહમાં ફુકહાએ કિરામનો જે પ્રમાણે ઈખ્તિલાફ અને મતભેદ છે, પૂછેલી સૂરતમાં હજે તમત્તુઅના જાઈઝ હોવામાં ફુકહાએ કિરામનો એવો કોઈ મતભેદ નથી.

Log in or Register to save this content for later.