Chapter : હજ
(Page : 295)
સવાલ :– હું પરિણિત છું, મારે એક પત્ની છે અને અવલાદમાં એક ચાર વર્ષનો છોકરો અને ૩૦ મહિનાની એક છોકરી છે, તો મારે હજમાં જવા માટે મારી ફેમિલી પ્રત્યે શું ફરજ બને છે? મારે હજમાં જવા માટે કોની કોની રજા લેવી જોઈએ?
જવાબ :– માણસ જયારે પોતાના વતનથી હજ પઢવા જાય અને તેના માં–બાપ ગરીબ હોવાથી તેમના ભરણપોષણની જવાબદારી શરઈ દ્રષ્ટિએ તેની ઉપર હોય અથવા તેમના કમઝોર અને ઘરડાં હોવાથી તેમની સેવા ચાકરીની જવાબદારી શરઈ દ્રષ્ટિએ તેની ઉપર હોય અને તેમના ભરણપોષણની વ્યવસ્થા ન કરી શકતો હોય તો મા–બાપની રજા લેવી જરૂરી છે અને તેઓની રજા વગર હજમાં જવું મકરૂહ છે અને જો તેમની આર્થિક સ્થિતિ સારી હોય અને તેની ખિદમતના મોહતાજ ન હોય તો તેમની રજા વગર હજમાં જવું મકરૂહ નથી. એવી જ રીતે ઔરત અને નાના બાળકો જેમના ભરણપોષણની જવાબદારી પતિ અને પિતા ઉપર છે અને તેમના ભરણપોષણની વ્યવસ્થા કરી શકતો નથી તો તેમની રજા વગર હજમાં જવું મકરૂહ છે, તેમની રજા લઈને જવું જોઈએ, નહિ તો હજમાંથી પરત આવતાં સુધી તેમના નિભાવ ખર્ચની વ્યવસ્થા કરીને જવું જોઈએ. (શામી–ર/૧૪૦, ગુન્યહ–૧પ)
Log in or Register to save this content for later.