Chapter : હજ
(Page : 290)
સવાલ :– શું મર્દોની જેમ ઔરતો માટે પણ કબ્રે મુબારકની ઝિયારત અને સલામ પઢવી મુસ્તહબ છે અને ઔરતો માટે સલામ પઢવાનો તરીકો શું છે?
જવાબ :– મર્દોની જેમ ઔરતો માટે પણ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત મુસ્તહબ છે અને જે તરીકાથી મર્દોએ ઝિયારત કરવાની અને સલામ પઢવાની હોય છે તે જ તરીકાથી ઔરતોએ પણ ઝિયારત કરવી જોઈએ અને સલામ પઢવી જોઈએ, અલબત્ત, જે સમયે મર્દોની ભીડ રહેતી હોય ત્યારે ઔરતોએ ન જવું જોઈએ અને બે પર્દગીથી બચવાનો અને આહિસ્તા સલામ પઢવાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ અને હૈઝની હાલતમાં હોય તો મસ્જિદમાં દાખલ ન થાય.
Log in or Register to save this content for later.