[ર૩૦] ગેર – મુસ્લિમનું હરમૈનમાં દાખલ થવું

Chapter : હજ

(Page : 289-290)

સવાલ :– મકકહ મુકર્રમહ અથવા હરમ શરીફમાં મુશરિક દાખલ થઈ શકે કે નહિ? અને એ જ પ્રમાણે તે મદીનહ મુનવ્વરહ અથવા મસ્જિદે નબવીમાં દાખલ થઈ શકે કે નહિ?

જવાબ  :– મકકહ મુકર્રમહ મસ્જિદે હરામ – મદીનહ મુનવ્વરહ અને મસ્જિદે નબવીમાં કાફિર કે મુશ્રિકના દાખલ થવાને ઈમામ અબૂ હનીફા (રહ.) જાઈઝ ફરમાવે છે. ઈમામ માલિક (રહ.) કોઈ પણ મસ્જિદમાં તેના દાખલ થવાને નાજાઈઝ ફરમાવે છે, ઈમામ મુહંમદ (રહ.), ઈમામ શાફઈ (રહ.) અને ઈમામ અહમદ (રહ.) ફકત મસ્જિદે હરામમાં તેના દાખલ થવાને નાજાઈઝ ફરમાવે છે, તે સિવાય બાકી મસ્જિદોમાં તેના પ્રવેશ કરવાને જાઈઝ ફરમાવે છે. (શામી –૩ / ર૭પ, પ / ર૪૮)

Log in or Register to save this content for later.