[ર૧૯] વેપાર માટે કપડું લઈ જવું

Chapter : હજ

(Page : 275-276)

સવાલઃ– માણસ ફર્ઝ હજમાં જાય અને કાયદેસર થોડું કાપડ ત્યાં લઈ જઈને વેચે અને તેનો નફો ખજૂર તસ્બીહ લાવવામાં ઉપયોગ કરે અને એ નફાનો ઉપયોગ કરે કે કેમ? કારણ હજનો ખર્ચ પૂરો છે જ, છતાં ખજૂર કે કોઈ ઘર માટે છોકરા માટે વસ્તુ લાવવા માટે જાઈઝ છે કેમ?

જવાબઃ– અસલ મકસદ હજ કરવાનો હોય, તિજારત કરવાનો ન હોય, પરંતુ પોતાની અમુક જરૂરતો પૂરી કરવા થોડો વેપારનો સામાન લઈ જઈને તે વેચી અમુક વસ્તુઓ ખરીદી લે તો એ જાઈઝ છે અને જો મુખ્ય હેતુ વેપાર કરવાનો હોય, વેપારનો માલ લાવી નફો કમાઈને મૂડી ભેગી કરી માલદાર બનવાનો હોય તો એ દુરસ્ત નથી અને અફઝલ આ છે કે હજના અરકાન અદા કરવાનાં પાંચ દિવસોમાં વેપાર ન કરે. (મઆ. કુર્આન ભા.૧ /શામી – ર/આલમગીરી –૧)

Log in or Register to save this content for later.