[ર૧૬] ફકીરની હજ માટે વ્યાજની રકમ

Chapter : હજ

(Page : 273)

સવાલઃ– વ્યાજની રકમ ભેગી કરી ગરીબ દોસ્તને હજમાં મોકલી શકાય કે નહિ?

જવાબઃ– ગરીબ દોસ્તના નામથી અનેક માણસો પાસેથી થોડી થોડી રકમ (વ્યાજની) ભેગી કરો એ જાઈઝ નથી કારણ કે જયારે તેના માટે સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર વ્યાજની રકમ ભેગી થઈ જશે તો તે દોસ્ત માલદાર બની જશે અને માલદાર બની ગયા પછી વ્યાજની રકમ આપવી જાઈઝ નથી અને એટલી રકમ આપવી કે તે માલદાર બની જાય એ પણ મકરૂહ છે અને વ્યાજની રકમનો ચંદો અને હજ માટે તેનો ઉપયોગ એ પણ બેહતર નથી.(શામી ભા.ર)

Log in or Register to save this content for later.