[ર૧૩] જો સઉદી સરકાર મુહરિમીનના હવાઈજહાઝને પરત કરી દે

Chapter : હજ

(Page : 269-270-271)

સવાલઃ – મેં ઉમરહ કરવાની નિય્યત કરી હતી, તા. ર૮/૯/૯૪ના મુંબઈ મુસાફર ખાનેથી ગુસલ કરી એહરામ બાંધી ઉમરહની નિય્યત કરી બોમ્બે એરપોર્ટ ઉપર પહોંચ્યો ત્યાં ઈમીગ્રેશન તેમજ કસ્ટમ વિધી પતાવી ઐેર ઈન્ડિયા પ્લેનમાં ૭–૪૦ વાગ્યે (સવારમાં) જિદ્દહ તરફ રવાના થયા જિદ્દહ પ્લેન પહોંચતાં જિદ્દહના એરપોર્ટ પર ઉતરવા માટે પાઈલોટે એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી માંગી પણ ભારતમાં પ્લેગનો રોગચાળો ફેલાયેલો હોવાથી ભારતની વિમાની સર્વિસ પર સઉદી અરબમાં પ્રતિબંધ મૂકેલો હોવાથી વિમાનને જિદ્દહ એરપોર્ટ પર ઉતરવા દીધું નહિ, આથી વિમાન મુંબઈ એરપોર્ટ પર પાછું આવ્યું અને ફરી કયારે જશે તે નકકી ન હોવાથી અમોએ બોમ્બે એરપોર્ટ પર એહરામ ઉતારી સીવેલા કપડાં પહેરી લીધા, તો આ બાબત શરઈ હુકમ શું છે? સદકો, કફફારો કે દમ આપવો પડશે? અને તે કયાં અને કેટલો આપવો પડશે ?હમે મજબૂરીથી એહરામ ઉતારી સીવેલાં કપડાં પહેરી લીધા છે, કારણ કે પ્લેન જિદ્દહ માટે કયારે જશે તે હજુ કાંઈ નકકી નથી

જવાબ :– હજુ સુધી તમો ઉમરહના એહરામમાં બાકી છો માટે સૌ પ્રથમ તો તુરત સીવેલા કપડાં ઉતારીને ચાદરો ઓઢી લેવી જોઈએ અને એહરામથી હલાલ થવા માટે મકકહ મુકર્રમહમાં અથવા તેના અતરાફમાં રહેતા કોઈ માણસ ઉપર દમ લાયક જાનવર હરમની હુદૂદમાં ઝબહ કરવા માટે ફોન કરવો જોઈએ અને આ દમ એહસારનો દમ કહેવાશે, ફોન ઉપર જાનવર ઝબહ કરવાનો દિવસ અને વખત નકકી કરવામાં આવે અને ત્યાંથી જાનવર ઝબહ થઈ ગયાનો ફોન આવી ગયા પછી તમો હલાલ ગણાશો તે પછી તમો એહરામની ચાદરો ઉતારીને સીવેલાં કપડાં પહેરી શકો છો, તેથી પહેલાં તમારે એહરામની બધી મર્યાદાઓ જાળવવી જરૂરી છે અને અત્યાર સુધી તમોએ જે સીવેલાં કપડાં પહેર્યા અને ટોપીથી માથું ઢાંકયું અને સુતી વખતે ચહેરો ઢાંકયો તે બદલ બીજો એક દમ ત્યાં હરમમાં જ ઝબહ કરાવવો પડશે અને જો ઉમરહનો એહરામ બાંધ્યા પછી વાળ કપાવ્યા, મૂંડાવ્યા હોય તો ત્રીજો પણ એક દમ આપવો પડશે, મોટું જાનવર ગાય, વાછરડો, ઊંટ સાત દમોની જગ્યાએ ચાલી શકે છે અને સંજોગો સામાન્ય થયા પછી અને રસ્તો ખુલ્યા પછી ઉમરહની કઝા કરવી જરૂરી છે. (શામી ભા.ર)

Log in or Register to save this content for later.