Chapter : હજ
(Page : 272-273)
સવાલઃ– લંડનથી એક ભાઈ પૂછાવે છે કે હું મારા દાદાની હજ પઢવા માગું છું પરંતુ વાલિદ સાહેબનું કહેવું છે કે દાદા દાદી પર હજ ફર્ઝ ન હતી, માટે તું એટલા પૈસા ગામનો મદ્રસો બની રહયો છે, તો તેમાં આપી દે, તો એ દાદા દાદી માટે સદકએ જારિયહ બની રહેશે. તો હજ પઢવી સારી કે મદ્રસામાં પૈસા આપી દેવા સારા?
જવાબ :–જયારે દાદા દાદી પર હજ ફર્ઝ ન હતી તો આ હજ તેઓના ઈસાલે સવાબ માટે નફલ હજ ગણાશે અને નફલ હજની અદાયગીનો લિલ્લાહ રકમ આપવા કરતાં મહેનત અને તકલીફની દ્રષ્ટિએ સવાબ વધુ છે, પરંતુ જયારે મદ્રસાના બાંધકામની જરૂરત હોય અને વકફ બાંધકામ સદકએ જારિયહ હોય, જેનો સવાબ હંમેશા મળતો અને વધતો રહે છે તો જરૂરત અને ઈસાલે સવાબની દ્રષ્ટિએ મજકૂર રકમ મદ્રસાના બાંધકામમાં આપવી નફલ હજ કરતાં અફઝલ છે અને બહેતર છે. (શામી–ર/રપ૩, ભા.ર, મહમૂદિય્યહ–૧૪/૧૩૧)
Log in or Register to save this content for later.