[રર૮] નોકરીની છુટ્ટીના કારણે એક સાલ મોડી હજ પઢવી

Chapter : હજ

(Page : 287-288)

સવાલ :– હું થોડા સમય પહેલાં સખત બીમાર અને વિકટ પરિસ્થિતિમાં હતો. સારું થવાની કોઈ આશા ન હતી ત્યારે મેં ઈરાદો કર્યો હતો કે જો મને તંદુરસ્તી અને આત્મ સંતોષ મળી જશે તો હું આ વર્ષે હજ પઢવા જઈશ. અલ્લાહ તઆલાના ફઝલો કરમથી હવે મને તંદુરસ્તી અને દિલી સંતોષ થઈ ગયો છે પરંતુ હજના સમયે નોકરી પરથી છુટ્ટી મળવાની શકયતા નથી, કારણ કે બીમારી દરમ્યાન છુટ્ટીઓ વધુ પ્રમાણમાં લીધી છે, તો હું ચાલુ વર્ષના બદલે આવતા વર્ષે હજ પઢું તો ચાલે કે નહિ?

જવાબ :– માત્ર એવો ઈરાદો કરવાથી કે આ બીમારીથી મને શિફા – સિહત મળી જશે તો ચાલુ વર્ષે હજ પઢવા જઈશ. હજ પઢવાની મન્‍નત થતી નથી. હા, અગર ઝુબાનથી પણ આ શબ્દો બોલ્યા છે તો હજની મન્‍નત થઈ ગઈ, પરંતુ બન્‍ન સૂરતોમાં એટલે કે ચાહે મન્‍નત થઈ હોય કે ન થઈ હોય, ચાલુ વર્ષે જ હજ પઢવા જવું જરૂરી નથી. આવતા વર્ષે પણ જઈ શકાય છે. અને આવતા વર્ષ સુધી મોડું કરવામાં કોઈ ગુનોહ નહિ થાય.      (રદ્દુલ મુહતાર – ૩/૭૦)

Log in or Register to save this content for later.