Chapter : હજ
(Page : 287)
સવાલ :– મેં આગળ એક શાદી કરી હતી. અમુક સંજોગોને લઈ મેં ઔરતને તલાક આપી છે, પરંતુ તેને મહરની રકમ આપી નથી અને આપવાનો ઈરાદો પણ નથી. તો હું તે રકમ મસ્જિદ મદ્રસહમાં આપું તો કંઈ વાંધો ખરો? આવતા વર્ષે મારો હજ પઢવાનો ઈરાદો છે તો હજમાં કંઈ વાંધો આવશે?
જવાબ :– જે ઔરત સાથે નિકાહ કરી તમોએ તેને તલાક આપી છે, જો તેની સાથે તમારો ફકત એકાંતવાસો અથવા શારિરીક સંબંધ થયો હતો તો જે મહર શરીઅત મુજબ નકકી કરી હતી તે પૂરી મહર ઔરતને આપવી તમારા માટે જરૂરી છે. ઔરતની બાકી પડતી મહેર, તમારા શિરે ઔરતનું દેવું ગણાશે. તે મહરની રકમ મસ્જિદ કે મદ્રસહમાં આપવી જાઈઝ નથી. ઔરતને જ આપવી જોઈએ અને હજ પઢવા જતાં પહેલાં ઔરતનું દેવું ચુકતે આપવું મુસ્તહબ છે. (શામી–ર)
Log in or Register to save this content for later.