Chapter : હજ
(Page : 286)
સવાલ :– હજ ફર્ઝ થયા પછી દરિયાઈ જહાઝ તથા હવાઈ જહાજનું ફોર્મ ભરેલું પરંતુ કુર્આમાં નંબર ન લાગ્યો અને બીજા વર્ષે રકમ વપરાઈ ગઈ તો હજ ફર્ઝ રહેશે અને ગુનાહ માથે રહેશે? અને તેવી હાલતમાં મોત આવી જાય તો હજ્જે બદલની વસિય્યત કરવી પડશે? હમારા સાંભળવા મુજબ હજ ફર્ઝ થવા માટે રસ્તાની સગવડ જરૂરી છે અને ફોર્મ પાસ ન થવાથી હજની ફર્ઝિયત થઈ નહિ શુ એ બરાબર છે?
જવાબ :– કુર્રામાં નંબર ન લાગે તો પણ હજની ફર્ઝિયત બાકી રહેશે અને બીજા વર્ષે હજ ખર્ચની રકમ વપરાય જાય અને કર્ઝ રકમ મળી શકતી હોય અને ભાવિની આવકથી કર્ઝ ભરપાય કરી શકવાની આશા હોય તો કર્ઝ લઈને ફર્ઝ હજ પઢવી અફઝલ છે, જો પોતાની આવકથી અથવા કર્ઝ રકમ લઈને હજ પઢવા શકિતમાન ન બને એટલે સુધી કે પોતાની છેલ્લી ઉમરે પહોંચી જાય તો મોતથી પહેલાં પહેલાં હજ્જે બદલની વસિય્યત કરવી જરૂરી છે.
રાજિહ રિવાયત મુજબ હજના ફર્ઝ થવા માટે રસ્તાનું શાંતિમય હોવું જરૂરી નથી બલ્કે તે ફર્ઝની અદાયગીના વાજિબ થવા માટે જરૂરી અને શર્ત છે અને રસ્તાની સગવડનો મતલબ એ છે કે પોતાની સલામતીનો ભય ન હોય. કુર્રામાં નંબર ન લાગવો એ રસ્તાના શાંતિમય હોવામાં અવરોધરૂપ નહિ ગણાય. (શામી : ભાગ – ર/૧૪૦,૧૪૪)
Log in or Register to save this content for later.