Chapter : હજ
(Page : 281-282-283)
સવાલ :– એક માણસ હજ પઢવા જવાનો છે. તો તેણે તઅલ્લુકવાળા દરેક માણસો પાસે જઈ ગુનાહોની માફી કે ભૂલ ચૂકની માફી માંગવી જરૂરી છે કે પછી પોતે એકલો દુઆમાં દરેક ગુનાહ કે તઅલ્લુકના ગુનાહની માફી માંગી લે તો ચાલે કે કેમ?
જવાબ :– દરેક પ્રકારના ગુનાહોથી માફી માંગવી એ હજની ઈબાદત સાથે ખાસ નથી બલ્કે પ્રત્યેક મુસલમાને જયારે પણ પોતાનાથી કોઈ ગુનાહ થઈ જાય તો તેની માફી માંગી લેવી જોઈએ. જો એ ગુનાહનો સંબંધ અલ્લાહ તઆલાના હકથી છે તો અલ્લાહ તઆલાથી અને જો બંદાના હક સાથે છે તો બંદાથી.
બાકી ખાસ હજ પઢવા જતી વખતે તઅલ્લુક વાળાઓથી તેમના હકોની માફી માંગવી એ હજના ફરઝો કે વાજિબોમાંથી નથી.
જે ગુનાહોનો સંબંધ તઅલ્લુકવાળાના હક સાથે છે. દા.ત. તેનો કોઈ માલ નાહક લઈ લીધો છે. અથવા તેને ગાળો આપી છે, તેની ગીબત કરી છે તો એવા ગુનાહોની માફી એકલો પોતે અલ્લાહ તઆલા પાસે માંગે એ કાફી નથી. અલબત્ત, હજ એક એવી મહાન ઈબાદત છે કે જો માણસ તેના બધા હુકમોની પૂરી પાબંદી સાથે અદા કરે તો હાજીના બધા ગુનાહો માફ થઈ જાય એવી આશા છે ચાહે તે સગીરહ ગુનાહ હોય કે કબીરહ હોય અને ચાહે તેનો સંબંધ અલ્લાહ તઆલાના હકથી હોય (જેમકે નમાઝ છોડવી, ઝકાત ન આપવી, બદકારી કરવી, શરાબ પીવી) કે બંદાના હકથી હોય, કારણ કે હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી હઝરત અબૂ હુરૈરહ (રદિ.) નકલ કરે છે કે, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે જે માણસે હજ અદા કરી અને કોઈ નફસાની શહવત કે ખોટી વાત ન અપનાવી અને ન અલ્લાહ તઆલાની નાફરમાની તેનાથી થઈ તો એ માણસ ગુનાહોથી એવો પાક સાફ થઈને ઘરે પાછો ફરશે કે માંએ જન્મ આપતી વખતે જેવો ગુનાહોથી પાક સાફ હતો. (મિશ્કાત –૧)
શારિહે હદીષ હાફિઝ ઈબ્ને હજર (રહ.) પોતાની મશ્હૂર કિતાબ ફત્હુલ બારી (બુખારી શરીફની શરહ)માં આ હદીષનો મતલબ બયાન કરતાં લખે છે કે, આ હદીષ શરીફથી તો એમ ઝાહિર છે કે સગીરહ, કબીરહ અને બંદાઓના હકો બધાંથી માફી મળી જશે (અત્તાલીકુસ્સબીહ –૯) અને આ વિષય પર હાફિજ સાહેબે (રહ.) એક રિસાલો લખીને આ મસ્અલાને સ્પષ્ટ કર્યો છે. (અત્તાલીકુસ્સબીહ – ૩/રર૩)
પરંતુ તે છતાં દરેક તે માણસથી કે જે કોઈનો હક પોતાના શિરે હોય તેની માફી તે માણસથી માંગી લેવી જોઈએ. ચાહે હજ પઢવાનું પણ નકકી હોય, કારણ કે મુલ્લા અલી કારી (રહ.) શારિહે મિશ્કાત, ઉપરની હદીષનો મતલબ લખે છે કે આ હદીષથી તો એ જ ઝાહિર થાય છે કે, સગીરહ કબીરહ બધા ગુનાહો માફ થઈ જશે. પરંતુ એ પણ એક ઈજમાઈ (સર્વ માન્ય) ઉસૂલ છે કે, ઈબાદતોથી ફકત એવા સગીરહ ગુનાહ માફ થાય છે, જેનો સંબંધ બંદાઓના હકથી ન હોય, બંદાઓના હકથી માફી તેમને રાજી કરવા ઉપર મોકૂફ છે અને લખે છે કે આ મસ્અલાની તહકીકમાં મેં એક રિસાલો લખ્યો છે. (મિરકાત–પ/ર૬પ)
અલ્લામા શામી (રહ.) એ પણ આ મસ્અલહ બાબત વિસ્તૃત ચર્ચા ફરમાવી છે અને હજથી હુકૂકુલ્લાહ અને હુકૂકુલ ઈબાદની માફી વિશે ફુકહાએ કિરામ અને ઉલમાએ ઉમ્મતના અનેક મંતવ્યો નકલ ફરમાવ્યા છે અને મસ્અલહને લગતી હદીષો પણ નકલ ફરમાવી છે, ખુલાસો આ છે કે આ એક ઈખ્તિલાફી અને ઝન્ની મસ્અલહ છે એ વાતનું યકીન ન કરી શકાય કે હજ કરવાથી અલ્લાહ તઆલાના અને બંદાઓના બધા જ હકકો અને કબીરહ ગુનાહો માફ થઈ જાય છે.
(શામી–ર/રપ૪,રપપ)
Log in or Register to save this content for later.