Chapter : કુરબાની
(Page : 315-316)
સવાલઃ– જે ગામમાં મુસ્લિમોની રપ થી ૩૦ ઘરોની વસ્તી છે અને ગેર મુસ્લિમોની વસ્તી એનાથી ડબલ છે અને તે ગામમાં વરસોથી ઈદની નમાઝ થાય છે, જો તે ગામમાં કોઈ માણસે ઈદના દિવસે સુબ્હે સાદિક પહેલાં અથવા તુલૂએ આફતાબ પહેલાં કુરબાની કરી નાખી તો તેની કુરબાની સહીહ ગણાશે કે નહિ?
જવાબઃ– એવા નાના ગામમાં જયાં ઈદની નમાઝ વાજિબ થતી નથી સુબ્હે સાદિક થઈ ગયા પછી કુરબાની કરવી જાઈઝ છે અને તુલૂએ આફતાબ પહેલાં અને તુલૂએ સુબ્હે સાદિક પછી નાના ગામમાં કુરબાની કરવાથી કુરબાની અદા થઈ જશે અને સુબ્હે સાદિક પહેલાં કુરબાની ઝબહ કરી તો સહીહ નહિ ગણાય અને કુરબાની વાજિબ હોય તો ફરીવાર કુરબાની કરવી પડશે. અલબત્ત, જો આવા નાના ગામમાં પણ ઈદની નમાઝ થતી હોય તો બેહતર આ છે કે ઈદની નમાઝ પછી કુરબાની ઝબહ કરવામાં આવે. (શામી–પ/ર૦ર)
Log in or Register to save this content for later.