Chapter : નિકાહ
(Page : 136-137)
સવાલઃ– એક પુરૂષ અને એક સ્ત્રી (બંને મુસ્લિમ) બન્ને જણા એક મત થઈ પોતાની રાજી ખુશીથી નિકાહ પઢે છે, વકીલ અને બે ગવાહની હાજરીમાં એક આલિમ નિકાહ પઢાવે છે, તો એ નિકાહ જાઈઝ છે કે કેમ? એને સહીહ નિકાહ ગણી શકાય કે નહિ ?
જે નિકાહ મસ્જિદમાં પઢાવવામાં આવે છે, જમાઅતના રજીસ્ટર્ડમાં એની નોંધ થાય છે અને નિકાહ પઢનારાઓની તથા એમના વડીલોની સહીઓ લેવામાં આવે છે, જે મુખ્ય પુરાવો છે.
ઉપર જણાવેલા કિસ્સામાં વડીલોની સહી કે કોઈ જમાઅતના રજીસ્ટર્ડમાં એન્ટ્રી નથી, જેથી વકીલ – ગવાહો અને આલિમ સિવાય કોઈ જ પુરાવો નથી, તો વકીલ – ગવાહો અને આલિમનો પુરાવો ચાલી શકે કે કેમ ? તો સહીહ શું ગણવું ? ખુલાસાવાર જવાબો આપશો.
જવાબ :– નિકાહને જાહેરમાં પઢવા અને તેની કાર્યવાહી રજિસ્ટર્ડમાં લેખિત રેકોર્ડ કરવી અને હાજીરીને મજલિસની ગવાહી તરીકે સહીઓ લેવી, આ બધુ મુસ્તહબ અને અફઝલ છે, નિકાહના દુરસ્ત થવા માટે નિકાહ જાહેરમાં પઢવા અથવા રજીસ્ટર્ડની લેખિત કાર્યવાહી કરવી જરૂરી અને શર્ત નથી, માટે પૂછેલી સૂરતમાં જો ઓરત નિકાહ પઢનાર પુરૂષ માટે હલાલ હતી, તો મજકૂર નિકાહ જાઈઝ અને દુરસ્ત ગણાશે અને તે ઓરતથી નિકાહ પઢનાર પુરુષ તેનો પતિ ગણાશે.
(શામી – ર/ર૬૧,ર૭ર)
નોટઃ – ઓરતે જે પુરૂષથી સવાલમાં લખવા મુજબ વકીલ અને ગવાહોની રૂબરૂ નિકાહ પઢયા છે, તે પુરૂષ જો દીનદારી ધંધો – રોજગાર અને આર્થિક દ્રષ્ટિએ ઓરતના ઘરથી નિચલી કક્ષાનો હશે તો ઓરતના વાલીને મુસ્લિમ કાઝી (જજ) સમક્ષ અને તે ન હોય તો મહકમએ શરઈય્યહ (કિંવા શરઈ પંચાયત) સમક્ષ વાંધો અરજી દાખલ કરી મજકૂર નિકાહને રદ બાતલ કરવાનો અધિકાર રહેશે. (શામી :–ર/ર૯૭)
Log in or Register to save this content for later.