Chapter : નમાઝ
(Page : 423)
સવાલ :– જમાઅત સાથે નમાઝ પઢવામાં ઈમામ ”અલ્હમ્દુ” પઢી રહયા પછી જો મુકતદી શામિલ થાય તો સના પઢી શકે? અગર ત્રીજી–ચોથી રકઅતમાં મુકતદી શામિલ થાય તો આ સૂરતમાં ઈમામ પાછળ સના પઢવાની શું હકીકત છે ?
જવાબ :– પહેલી સૂરતમાં જો આહિસ્તા કિરાઅત વાળી નમાઝ હોય તો મુકતદીએ સના પઢવી જોઈએ અને જો અવાજ વાળી કિરાઅત નમાઝ સાથે હોય તો સના ન પઢે અને બીજી સૂરતમાં અવાજ વાળી કિરાઅત (જહરી) નથી, એટલે શરીક થનાર મુકતદીએ સના પઢવી જોઈએ. (શામી ભાગ–૧/ ૩ર૮ )
Log in or Register to save this content for later.