[૩૯૭] ઈમામ રુકૂઅ–સજદહમાં કેટલી તસ્બીહ પઢે?

Chapter : નમાઝ

(Page : 422)

સવાલ :– મસ્જિદના ઈમામ નમાઝ પઢાવે છે, જેમાં રુકૂઅ સજદહની તસ્બીહો કોઈ રુકૂઅમાં આઠ વાર, કોઈ રુકૂઅમાં દસ વાર, તો કોઈ રુકૂઅમાં ત્રણ–ચાર વાર પઢે છે. એવી જ રીતે સજદહમાં પણ પઢતા હોય છે. તો આ પ્રમાણે તસ્બીહો પઢવાથી નમાઝોમાં કોઈ વાંધો આવશે? અને નમાઝ થાય કે નહીં ?

જવાબ :– દરેક રુકૂઅ અને સજદહમાં ઈમામના જૂદી જૂદી સંખ્યામાં તસ્બીહો પઢવાથી નમાઝમાં કોઈ ફસાદ નહીં આવે, નમાઝ અદા થઈ જશે, પરંતુ ઈમામે મુકતદીયોનો ખ્યાલ રાખવો જરૂરી છે, એટલી ઉતાવળ પણ ન કરે કે મુકતદીયોની ત્રણ તસ્બીહો પણ પૂરી ન થાય અને ત્રણથી વધારે એટલા વધુ પ્રમાણમાં પણ તસ્બીહો ન પઢે કે નમાઝ લાંબી થવાથી બીમાર અને અશકત મુકતદીઓને તકલીફ થવા લાગે. આવુ કરવું મકરૂહ છે, માટે અબ્દુલ્લાહ બિન મુબારક, શૈખ ઈસ્હાક ઈબ્ને રાહવૈહ, શૈખ ઈબ્રાહીમ નખઈ અને શૈખ સૌરી (રહ.)થી મનકૂલ છે કે ઈમામ માટે પાંચ વાર તસ્બીહ પઢવી મુસ્તહબ છે તાકે મુકતદીયો કમથી કમ ત્રણ વાર તસ્બીહ પઢી શકે.         (શામી ભાગ –૧ / ૩૩૩,૩૭૯)

Log in or Register to save this content for later.