Chapter : નમાઝ
(Page : 422)
સવાલ :– કયાં સુધી નમાઝમાં દાખલ થયેલ માણસને ”તકબીરે તહરીમા” નો સવાબ મળેલ કહેવાશે ? રુકૂઅ પહેલાં કે રુકૂઅ માટે ઈમામ ”અલ્લાહુ અકબર” કહે તો તે નમાઝમાં તરત દાખલ થયેલ કહેવાય ? કોઈ માણસ રુકૂઅમાં જો શામિલ થાય તો તેને તકબીરે ઉલાનો સવાબ મળશે ?
જવાબ :– સહીહ મંતવ્ય મુજબ પહેલી રકઅતના રુકૂઅમાં શામિલ થનારને પણ તકબીરે તહરીમાનો સવાબ અને ફઝીલત પ્રાપ્ત થશે અને તેથી પહેલાં શામિલ થનારને પણ તકબીરે તહરીમાનો સવાબ પ્રાપ્ત થશે. (શામી ભાગ–૧/૩પ૩)
Log in or Register to save this content for later.