[૩૯પ] જે ઈમામ સાથે ચોથી રકઅતમાં શામેલ થાય

Chapter : નમાઝ

(Page : 421)

સવાલ :– એક માણસ ઈમામ સાથે ચોથી રકઅતમાં શરીક થયો તો ઈમામ જયારે છેલ્લા કઅ્‌દહમાં બેસી જાય ત્યારે આ માણસ ફકત તશહ્‌હુદ જ પઢશે ? અને ઈમામ નમાઝ પૂરી કરે ત્યારે પેલો માણસ ફકત ઉભો થઈ સૂરએ ફાતિહા જ પઢશે ? કે પછી સૂરત પણ પઢવી પડશે? અગર પઢવી પડે તો કેવી રીતે પઢશે? અને એ ઉભો થાય ત્યારે તો હજુ બીજી રકઅત હશે તો બીજી રકઅત માં ફકત ”અલ્હમ્દુ” પઢશે કે પછી સૂરત પણ મિલાવશે ?

જવાબ :– ઈમામ સાથે છેલ્લા કઅ્‌દહમાં તે માણસ ફકત તશહ્‌હુદ જ પઢશે, દુરૂદ અને દુઆ નહિ પઢે અને ઈમામની સલામ પછી ઉભો થઈને પહેલી રકઅતમાં સૂરએ ફાતિહા અને સૂરત પઢી રકઅત પૂરી કરી કઅ્‌દહ કરશે ત્યાર પછી ઉભો થઈને પોતાની બીજી રકઅતમાં પણ સૂરએ ફાતિહા અને સૂરત પઢશે અને ત્રીજી માટે ઉભો થઈને માત્ર સૂરએ ફાતિહા પઢશે. (શામી ભાગ–૧)

Log in or Register to save this content for later.